Placeholder canvas

રાજકોટમાં રૂખડીયા ફાટક પાસે છ દિવસની બાળકીને તરછોડી મહિલા ફરાર…

નવજાત બાળકોને જન્મ આપી અને માતા તેને તરછોડી દેવાના અનેક બનાવો સામે આવે છે. તેવો જ બનાવ રાજકોટમાં રૂખડીયા ફાટક પાસે જોવા મળ્યો છે. નિષ્ઠુર જનેતા છ દિવસની બાળકીને તરછોડીને નાસી છુટતાં ચકચાર મચી ગઈ હતી. જાગૃત નાગરીકને ધ્યાને બાળકી આવતા સારવારમાં ખસેડી બાળકીને નવજીવન આપ્યું હતું.

આ બનાવની મળેલી માહિતી મુજબ અજાણી મહીલા આજે સવારે રૂખડીયા ફાટક પાસે આવેલ મંદિરની બાજુમાં ઝાડ નિચે છ દિવસની નવજાત બાળકીને તરછોડી ચાલી ગઈ હતી. જયાંથી પસાર થતાં જાગૃત નાગરીકની નજર નવજાત બાળકી પર પડતાં તેને તાત્કાલીક બાળકીને ઉપાડી નજીકના મંદિરે લઈ જઈ લતાવાસીઓને જાણ કરતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતો.

લોકોએ 108ને જાણ કરતાં દોડી આવેલ 108ના સ્ટાફે બાળકીને તપાસતા બાળકીમાં જીવીત હોવાનું જાણવા મળેલ જેથી તાત્કાલીક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે જાણ કરતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને લોકો પાસેથી માહીતી એકઠી કરી સીસીટીવી ફુટેજના આધારે બાળકીને તરછોડનાર જનેતાની શોધખોળ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો