તીથવા PHC દ્રારા ચોમાસામાં પાણી જન્ય રોગ ન ફેલાય તે માટે કલોરીનેશનની કામગીરી શરૂ કરી.
વાંકાનેર: આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તિથવા ખાતે વર્ષા ઋતુ અનુસંધાને પાણી જન્ય રોગ ન ફેલાય તે માટે તિથવા ગામના સરપંચ ઇસ્માઇલભાઈ પરાસરા (રઝવી ) તથા પ્રા.આ.કેન્દ્ર. તિથવાના સુપરવાઈજર સલીમભાઇ પીપરવાડિયા, હેલ્થ વર્કર ઉર્વેશ સિપાઈ અને રેનીશ કડ઼ીવાર સાથે મળી પાણી કલોરીનેશન ની કામગીરી કરી હતી.
ચોમાસા દરમિયાન વાહક જન્ય રોગ ચાળો મેલરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ન ફેલાય તે માટે પ્રા.આ. કેન્દ્ર તિથવા ખાતે આરોગ્યની ટિમ દ્વારા એન્ટી લાર્વા કામગીરી અને ખાડા ખાબોચિયા ઓઇલ કામગીરી પણ હાથ ધરી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/CHRcdf3A9ymG3TS54CvHjf
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…