Placeholder canvas

સરકારી ખરાબામા ઉભેલી સહકારી અગ્રણીની પ્રતિમા હટાવવા ટંકારા મામલતદારનો હુકમ

રાજ્યના મંત્રીઓ, સહકારી અગ્રણી સાંસદ ધારાસભ્ય સહિતના અનેક નામાંકિત હસ્તીઓની હાજરીમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે સ્વ વાધજી બોડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યુ હતું એ જગ્યા સરકારી હતો! સામાજિક કાર્યકરે ફરીયાદ કરતા ટંકારા મામલતદારે દબાણ દુર કરવા હુકમ કરી દબાણ દંડ ફટકાર્યો. બોડાના ચાહકોમાં ભારે નારાજગી ટંકારા શહેર ઉપરાંત હાઇવેની અડોઅડ થયેલ દબાણ પણ આવીરીતે દુર કરવા લોક માંગ ઉઠી આગામી દિવસોમાં આ મુદ્દે ભારે ચકચાર જગાવશે.

ટંકારાના ભાગોળે આવેલ નાના એવા લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાના ભેખધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર સ્વ. વાઘજી બોડાની કાયમી યાદગીરી રહે તે માટે તેમના માદરે વતન લખધીરગઢ ગામમાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રતિમ મૂકવામાં આવી હતી. જેનું અનાવરણ સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપભાઇ સંઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું, ઉપરાંત અનાવરણ કાર્યક્રમમાં ક્રુભકોના ચેરમેન ડો.ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, ત્યારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય લલિત કગથરા સહિતના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં સ્વ વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

અનાવરણ જે જગ્યાએ કરવામાં આવ્યુ હતું એ જગ્યા સરકારી ખરાબો હોય અને ભસ્ટાચાર સામે કાયમી અવાજ ઉપાડતા સામાજિક કાર્યકર ભરત સોલંકીએ આ અંગે ટંકારા મામલતદારને લેખિત ફરિયાદ કરી જેમા જણાવ્યું હતું કે 143/1/1 વાળી સરકારી જગ્યાએ કોઇ પણ પુર્વ મંજુરી કે માગણી વિના સ્ટેચ્યુ કરી દબાણ કર્યું છે. જેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરતા પેશકદમી અંગેનો કેસ સર્કલ ઓફિસર દ્વારા બાપા સીતારામ યુવક મંડળ ના પ્રમુખ મનસુખ ઓધવજીભાઈ ફેફર વિરુદ્ધ મામલતદારશ્રીની સમક્ષ ચાલતા ટંકારા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કેતન સખિયા દ્વારા જમીન મહેસુલ અધિનિયમ 1879 ની કલમ 61 નિચે દબાણ દુર કરવા હુકમ કરી દબાણ દંડ ફટકાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ વાધજી બોડા રાજ્ય ઉપરાંત દેશ વિદેશમાં મોટું નામ ધરાવતી હસ્તી હતા ક્રોગેસના પિઠ આગેવાન અને ખેડૂતોના નેતા તરીકે ખ્યાતનામની પ્રતિમાના કેસ સામે ચાહકોમાં રોષ ફેલાયો છે અને ટંકારા શહેર ચોકડી અને સરકારી જગ્યા ઉપર ખડકેલા દબાણો દૂર કરવા લાજુકાઢતા તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

આ ચુકાદાને પ્રાંત કચેરીમાં પડકારશે ટંકારા મામલતદાર દ્વારા કરવામાં આવેલા હુકમને હવે પ્રાત કચેરીમાં ચલાવી પક્ષ રાખવામાં આવશે એવુ બોડા પરીવાર પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેની પ્રતિમા અનાવરણ માટે અનેક નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત હતી એને દૂર કરવા થયેલ હુકમ બાદ નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ચોકડી અને ટંકારા શહેરની સરકારી બિલ્ડીંગો જમીનો ઉપર ખડકાયેલ દબાણો પણ ગમે તે ધડીએ દુર થશે! અમારા આધિકારિક સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારા શહેર અને ચોકડી હાઈવે ઉપર ગેરકાયદેસર રીતે બનેલા બાંધકામ અને દબાણો દૂર કરવા પ્લાન તૈયાર કર્યો છે તદ ઉપરાંત ડુપ્લીકેટ કાગળોને આગળ ધરી તંત્રને અવળે માર્ગે ચડાવતા ચોકસ જુથોની કુંડળી તૈયાર કરી નવા જુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ સમાચારને શેર કરો