Placeholder canvas

વાંકાનેર: વઘાસીયા પાસેની રેલવે ફાટક નજીક સળગેલી હાલતમાં આધેડ મળી આવ્યા: મોત

વાંકાનેર : વાંકાનેર નજીક વઘાસીયા ફાટક પાસેથી સળગી ગયેલ હાલતમાં અંદાજે 50 વર્ષીય આધેડ મળી આવતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસીયા ફાટક પાસે રોડ ઉપર એક 50 વર્ષીય અજાણ્યો પુરુષ કોઇ કારણસર દાજી ગયેલ હાલતમાં મળી આવતા પ્રથમ વાંકાનેર સરકારી દવાખાને ખસેડાયા બાદ વાંકાનેર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ ઉપર ડો. મીતલ સાંગાણીએ મૃત જાહેર કરતા વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો