Placeholder canvas

ટંકારા: ઓટાળા ગામે કારખાનામાં ઉકળતું પાણી ઉડતા દાઝી જતા યુવાનનું મોત

ટંકારા: ઓટાળા ગામે ફેક્ટરીમાં કામ કરતાં શ્રમિક પર ઉકળતું પાણી ઉડતા તે ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ મામલે ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ નેપાળના વતની અને હાલ ઓટાળા ગામે કલ્યાણી ટેક્ષ ટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં રહેતા અને તેમાં કામ કરતાં ૨૧ વર્ષીય અર્જુનબહાદુર માનબહાદુર થાપામગર તા.૨૪/૦૬ના રોજ નોકરી પર હતા.એ દરમિયાન ડાઈંગ મશીનનો વાલ્વ ખોલવાનુ ભુલી જતા અને ડાઈંગ મશીનનુ ઢાકણું ખોલતા અંદર થી મટિરિયલ્શ વાળુ ઉકળતા પાણી તેમના શરીરે ઉડયું હતું. જેને પગલે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો