સજનપર પ્રાથમીક શાળામાં દાતા દ્વારા બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
ટંકારા: શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ગામના દાતા દ્વારા બાલવાટીકા અને ધો.1 માં પ્રવેશ મેળવેલ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું હતું.
આજરોજ તા. 13/7/2023 ના શ્રી સજનપર સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટીકા અને ધો. 1 માં પ્રવેશ મેળવેલ 40 જેટલા બાળકોને શાળાના વાલી અને ગામના દાતા બરાસરા પીયૂષભાઈ હસમુખભાઈ દ્વારા સ્કૂલબેગ વિતરણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગામના અતિશ્રીમંત પરિવારના બરાસરા પીયૂષભાઈ પોતાના સંતાનોને મોરબીની મોંઘી પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે છે તેમ છતાં તેમના બાળકોને ગામની સરકારી શાળા શ્રી સજનપર સરકારી પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરાવે છે. શાળા પર વિશ્વાસ મુકવા બદલ તેમજ શાળાના બાળકોને સ્કૂલબેગ આપવા બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.