Placeholder canvas

પારકા ઝઘડામાં સમજાવવા ગયેલા યુવાનની હત્યામાં પાંચ ઝડપાયા

રાજકોટ : અંબીકા ટાઉનશીપ વિસ્તારમાં શિતાજી ટાઉનશીપમાં પારકા ઝઘડામાં સમજાવવા ગયેલા તૌફિક જાહીદભાઇ વજુગરા (ઉ.વ. ૩૨)ને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાના ગુનામાં તાલુકા પોલીસે પાંચ સામે ગુનો દાખલ કરી બે કિશોર સહિત પાંચની ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલામાં બે કિશોર ઉપરાંત લક્ષ્મીબેન ઉર્ફે હંસાબેન જગદીશભાઇ અઘેરા (રહે. શિતાજી ટાઉનશીપ), ચિરાગ બાબુભાઇ પતરીયા અને અક્ષય રણછોડભાઇ વીરસોડીયા (રહે. બન્ને ઓમનગર, ૪૦ ફુટ રોડ, મવડી)નો સમાવેશ થાય છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શિતાજી ટાઉનશીપમાં રહેતા આરોપી હંસાબેનને તેની જ વિંગમાં રહેતા પ્રશાંતભાઇ હિરાણી સાથે મંદિર બાબતે માથાકૂટ કરતા હોય ત્યાં હત્યાનો ભોગ બનનાર તૌફીક વજુગરા સમજાવવા જતા લક્ષ્મીબેન ઉર્ફે હંસાબેન, અક્ષય અને ચિરાગ સહિત પાંચેયે માથાકૂટ કરી હત્યા કરી હતી. હાલ પી.આઇ. વી.આર. પટેલે વધુ તપાસ જારી રાખી છે.

આ સમાચારને શેર કરો