Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં PHDની પરીક્ષા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં લેવાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી PHDની પરીક્ષા બાબતે લાલિયાવાડી ચાલી રહી હતી.PhDની પ્રવેશ પરીક્ષા નિયત સમયથી બે માસ મોડું થઈ ગયું હોવા છતા યોજવામાં આવી ન હતી.જો કે હવે કુલપતિ ડો. નીલાંબરીબેન દવે દ્વારા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશ પરીક્ષા લેવાની ખાતરી અપાઈ છે.

બીજી તરફ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની SHODH (સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ)ની ફેલોશિપ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જો આ તારીખ વધારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે.

આ સમાચારને શેર કરો