આગામી પાંચ દિવસ ભારે વરસાદની શકયતા નથી…
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ રાજ્યમાં પાંચ દિવસમાં ભારે વરસાદી વાતાવરણ ન હોવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ 5 દિવસ સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, દરિયામાં કરંટ હોવાના કારણે 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન ઊતરવા માટે ચેતવણી આપવામાં આવી છે