Placeholder canvas

વાંકાનેર બાર એસોસીએશનના યુવા પ્રમુખ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ

વાંકાનેર બાર એસોસીએશનના (વકીલ મંડળ) યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારનો આજે જન્મદિવસ છે.

તેવો મૂળ મુળી ગામના વતની અને હાલ વાંકાનેર ખાતે રહેતા મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમાર વાંકાનેર બાર એસોસીએશનના (વકીલ મંડળ) પ્રમુખ તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા મયુરસિંહના પિતાજી સુરેન્દ્રસિંહ (સુરુભા) આર પરમાર ગુજરાત પોલીસમાં ફરજ બજાવી ASI તરીકે વાંકાનેર ખાતે નિવૃત થયા છે. મયુરસિંહ પરમાર ગુજરાતમાં સૌથી નાની વયે બાર એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આજે મયુરસિંહને તેમના જન્મદિવસની વકીલ મિત્રો, કોર્ટસ્ટાફ, સગા, સ્નેહીઓ, મિત્રો તેમના મોબાઈલ નંબર પર શુભેચ્છા પાઠવી રહયા છે.

મયુરસિંહને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો