Placeholder canvas

આખરે કે.એમ.છાસિયાને હળવદમાં મળ્યું પોસ્ટિંગ.

હળવદ પંથકમાં ખાનીજચોરીમાં બેદરકારી સબબ અગાઉ પીઆઇ એમ.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હળવદ પંથક ઇન્ચાર્જ પીઆઇને હવાલે થઈ ગયું હતું. વાંકાનેરના પીઆઇને હળવદનો ચાર્જ હોવાથી તેઓ બન્ને તાલુકામાં ધ્યાન ન આપી શકતા હોય હળવદ પંથકમાં કાયમી પીઆઇની નિમણૂક કરવાની માંગ ઉઠી હતી.

જેથી આખરે હળવદના કાયમી પીઆઇની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સિટીમાં પી.આઈ. તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ મોરબી ખાતે લિવ રિઝર્વમાં રહેલા પીઆઇ કે.એમ. છાસિયાને હળવદમાં પી.આઇ. નું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો