વાંકાનેર : જુનિ કલાવડી પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા,મોત
વાંકાનેર : તાલુકાના જુના કલાવડી ગામે બહેન સાથે થયેલી બોલાચાલી બાદ લાગી આવતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની એક સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20191214-WA0002-1024x1024-1.jpg)
જૂની કલાવડી ગામે સીમ વિસ્તારમાં પરિવાર સાથે રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શંકરભાઇ મેથુભાઈ મકવાણાની સગીર વયની પુત્રીએ ગઈ સાંજે 6 વાગ્યાના અરસામાં રહેણાંક ઓરડીમાં ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191231-WA0013-1024x1024.jpg)
આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા મૃતકને તેની નાની બહેન સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ સામાન્ય ઝઘડો થતા એ બાબતનું લાગી આવતા આવેશમાં આવી જઈને સગીરાએ ઓરડીમાં જઈને પોતાની જાતને લટકાવી દેતા તેનું મોત થયું હતું.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/20200103_121657.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)