Placeholder canvas

વાવાઝોડાં નુકસાનીનો તાગ મેળવવા ‘આપ’ના ઈશુદાન મોરબીમાં…

મોરબી : બિપરજોય વાવાઝોડાંની સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધતા ઓછા પ્રમાણમાં અસર વર્તાઈ હતી. જેમાંથી મોરબી જિલ્લામાં ખાસ કરીને મોરબી ટંકારા અને માળિયામાં વાવાઝોડાંને લઈને ઘણું નુકસાન થયું હતું. એવા સમયે આ વાવાઝોડાંની અસરનો તાગ મેળવવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબીની મુલાકાતે આવ્યા હતા.

તેઓએ વાવાઝોડાંથી થયેલા નુકસાન વિશે ચર્ચા કરી હતી તેમજ મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોના ખબર અંતર પણ પુછ્યા હતા. આ મુલાકાતમાં કૈલાશદાન ગઢવી, જેવલબેન, અમદાવાદ શહેર પ્રમુખ બિપીનભાઈ તેમજ બીજા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરો