Placeholder canvas

વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી..

વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળતા તાલુકા પંચાયત ચેરમેને આગેવાનો અને સરકારનો આભાર માન્યો હતો.

વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા જણાવવામાં આવતા વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા વાંકાનેર તાલુકામાં સિંચાઈની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો