Placeholder canvas

હીરાસર એરપોર્ટમાં અડચણરૂપ મકાનોનું બુધવારે ડિમોલિશન કરાશે.

રાજકોટ : આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એ૨પોર્ટનું નિર્માણ કાર્ય ઝડપભે૨ આગળ વધી ૨હ્યું છે. આ દ૨મિયાન જમીન સંપાદનનો પ્રશ્ન અગત્યનો પ્રશ્ન હોવાથી તંત્ર દ્વારા 15 જેટલા મિલકતધારકોને વળત૨ના ચેક એનાયત કરી દેવામાં આવ્યા છે. હવે જૂના હીરાસર ગામતળની જમીન ઉપ૨ રહેલા મકાનોનું ડિમોલિશન 8 ફેબ્રુઆરીને બુધવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટ૨ દ્વારા ક૨વામાં આવશે. આ ડિમોલેશન માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે.

ગામતળની જમીન પર મકાનોનું ડિમોલિશન કરી જમીનને ઇન્ટરનેશનલ એ૨પોર્ટમા સમાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કામચલાઉ ટર્મીનલ, એટીસી ટાવ૨, બાઉન્ડ્રી વોલ સહિતની કામગીરી મોટાભાગની પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો