વાંકાનેર: સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા યુવાનને હાર્ટએટેક આવતા મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ ઉ.37 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા આ યુવા ટ્રાન્સપોર્ટરનું અકાળે અવસાન થયું હતું. ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.