Placeholder canvas

વાંકાનેર: ભોજપરા ગામે વાડામાં લાગી આગ, લાખો રૂપિયાનો પશુચારો બળીને ખાખ…

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામ ખાતે ગામની પશ્ચિમ દિશામાં આવેલા ખેડૂતોના વાડામાં આગ લાગી હતી આગના કારણે વાડામાં રહેલો લાખો રૂપિયાનો પશુ વિચારો બળીને ખાખ થઈ ગયો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની પશ્ચિમ દિશામાં સુપ્રિમ સીરેમિક્સની બાજુમાં બાજુમાં આવેલા ખેડૂતના વાડામાં 8 થી 10 ખેડૂતના વાડામાં આગ લાગી હતી અને તેમાં રહેલો પશુચારો બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ કરી આમ છતાં કલાકો સુધી ફાયર બ્રિગેડ આવ્યું નોહતું.

અત્રે ઉલ્લેખ છે કે વાંકાનેર નગરપાલિકાના ફાયર બ્રિગેડના એક નાની ગાડી છે ફાયર બ્રિગેડના અન્ય વાહનો પર વિજય પડતા તે નકામા થઈ ગયા છે હાલ વાંકાનેર શહેર અને તાલુકો રામ ભરોસે છે.

આ સમાચારને શેર કરો