Placeholder canvas

વાંકાનેર તાલુકાના 2 ડોક્ટર સહિત મોરબી જિલ્લામાં 4 ડોકટરની બદલી…

ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-૨ માં ફરજ બજાવતા એકસામટા 144 જેટલા તબીબી અધિકારીની સ્વવિનંતીથી/જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે.

આ તબીબી અધિકારીઓની બદલીમાં વાંકાનેર તાલુકાના બે સહિત મોરબી જિલ્લામાં કુલ ચાર ડોક્ટરોની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં મેસરીયા પીએચસીમા ફરજ બજાવતા ડૉ.જાવેદ મસાકપુત્રાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્વવિનંતીથી મૂકવામાં આવ્યા છે. જ્યારે વાંકાનેરના ઢુવા પીએચસીમાં સેવા બજાવતા ડૉ. ધવલ રાઠોડને જિલ્લા તાલીમ ટિમ મોરબીમાં જાહેર હિતાર્થ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત હળવદ તાલુકાના ચરાડવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. મનસુખ અજાણા ને જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબીમાં જાહેર હિતાર્થે મૂકવામાં આવ્યા છે, જ્યારે હળવદ તાલુકાના માથક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. ચિંતન દોશીને જાહેર હિતાર્થે હળવદના તાલુકાના આરોગ્ય અધિકારી ના હોદા પર મૂકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો