Placeholder canvas

વાંકાનેર: દિઘલીયામાં દીપડો આવ્યો? ચાર પશુઓનું મારણ કર્યું, ત્રણને ચૂંથી નાખ્યા…

વાંકાનેર તાલુકાના દેઘલીયા ગામે ગત રાત્રે ગામની બાજુમાં આવેલા વાડામાં કોઈ જંગલી જાનવર ઘસી જઈને ચાર પશુઓનું મરણ કર્યું છે ત્યારે અન્ય ત્રણ પશુઓને ચૂંથી નાખ્યા છે.

આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયા દ્વારા ફોરેસ્ટના અધિકારીઓને કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ફોરેસ્ટના કર્મચારીઓ દીઘલીયા જવા નીકળી ગયા છે. આ કર્મચારીઓ ત્યાં જઈને તપાસ કરશે કે આ મારણ દીપડાએ કહ્યું છે કે કોઈ અન્ય જંગલી જાનવરોએ.

મળેલી માહિતી મુજબ ગામના ખેડૂત ખોરજીયા નૂરમહંમદ અલાઉદી જેમનો વાળો ગામની બાજુમાં જ આવેલો છે તેમાં દીપડો કે અન્ય કોઈ જાનવર ખુશી જઈને ચાર ઘેટાનું મરણ કર્યું છે જ્યારે એક ઘેટા અને બે પાડાને ચુથી નાખ્યા છે, તેમને ગંભીર ઇજાઓ થઈ છે પણ હાલમાં તે જીવી રહ્યા છે. તેમને પશુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://chat.whatsapp.com/BsZbWVaH8zsEUWHfckFctR