Placeholder canvas

વેલનાથપરામાં પ્રેમપ્રકરણ મામલે બે જુથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું, પાંચ ઘવાયા

રાજકોટ: મોરબી રોડ પર વેલનાથપરામાં આવેલ મામાદેવના મંદિર પાસે મોડી રાત્રીના ભરવાડના બે જુથ વચ્ચે પ્રેમ પ્રકરણ મામલે સશસ્ત્ર ધિંગાણું થતાં પાંચ લોકો ગંભીર રીતે ઘવાતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની પોલીસને જાણ થતા દોડી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર, વેલનાથપરા 11માં રહેતાં કમલેશ મેપાભાઈ વરૂ (ઉ.વ.23) ગત રોજ ઘરે હતો. ત્યારે તેને અગાઉ જે તેની પાછળની શેરીમાં રહેતી ભરવાડ યુવતી સાથે પ્રેમ હતો. જે યુવતીએ ગત રાત્રીના વેલનાથ પરામાં આવેલ મામા સાહેબના મંદિર પાસે મળવા માટે બોલાવ્યો હતો. જેથી યુવક તેને મળવા માટે પહોંચ્યો

ત્યાં તેના પરિવારના રાજા આલા છગન સહીતના 15 જેટલા શખ્સો હથીયાર સાથે ઉભા હતા અને અચાનક જ કમલેશ ઉપર ધારીયા અને પાઈપથી હુમલો કર્યો હતો.બનાવ અંગે સ્થાનીક લોકોએ કમલેશના પરીવારને જાણ કરતાં દોડી આવેલા તેના ભાઈઓ વિરમ (ઉ.વ.20) સતિષ (ઉ.વ.18) અને સિંધા (ઉ.વ.28) ઉપર પણ શખ્સોએ ધારીયાથી હુમલો કર્યો હતો. જે બાદ ઈજાગ્રસ્તોને સંબંધીએ પોલીસને જાણ કરતાં પી.સી.આર.વાન દોડી આવતાં હુમલો કરનાર નાસી છુટયા હતો.વધુમાં ઈજાગ્રસ્તના સંબંધીએ આક્ષેપ કર્યો હતો કે કમલેશે પ્રેમીકાએ સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હોવા છતા યુવતીએ તેને ફોન કરી મળવા માટે બોલાવ્યો હતો અને જો મળવા નહી આવે તો આપઘાત કરી લેશે તેવી ધમકી આપતા કમલેશ તેને મળવા ગયો અને યુવતીના પરીવારજનોએ હુમલો કર્યો હતો.

જયારે સામાપક્ષે ગંભીરરીતે ઘવાયેલા ઘેલાભાઈ દેવાભાઈ ટોયટા (ઉ.વ.30) (રહે. વેલનાથ પરા.22)એ હોસ્પિટલ બિછાનેથી જણાવ્યું હતું કે, તેની ભત્રીજીને કમલેશ વરૂ અવાર-નવાર મેસેજ અને ફોન કરી હેરાન કરતો હોઈ જે મામલે તેને અગાઉ પણ સમજાવેલ હતો કે તું હવેથી અમારી પુત્રીને મેસેજ કે ફોન કરતો નહી છતાં ગતરોજ રાત્રે તેમની ભત્રીજીને ફોન કરીને મામા સાહેબના મંદિર પાસે મળવા બોલાવી હતી.ત્યારે તેના મોટાભાઈએ બંન્નેને રંગે હાથ પકડી લીધા હતાં.અને તેને શાંતિથી સમજાવેલ હતો. બાદમાં કમલેશ અને તેના ભાઈઓ વિરમ, સતિષ સહીતના શખ્સો ધારીયા અને પાઈપ લઈ ધસી આવ્યા હતાં. અને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવમાં અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી.ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો.

આ સમાચારને શેર કરો