Placeholder canvas

વાંકાનેર: હશનપરમાં 28 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ.

વાંકાનેર : ગઈકાલે વાંકાનેરના હસનપરમાં રહેતા 28 વર્ષના આશાસ્પદ યુવાનને અચાનક હાર્ટ એટેક આવતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર કારગત ન નિવડતા મૃત્યુ નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ વાકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેશકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવતા સારવાર કારગત ન નીવડતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો