Placeholder canvas

રાજકોટ: હડાળાના પાટીયે કારને ટ્રકે ઠોકરે મારતા એક જ પરિવારના સાત ઘવાયા

હળવદના ચરાવડામાં દર્શનાર્થે કાર લઈને ગયેલા રતનપરના પરિવારને પરત ફરતી વેળાએ હડાળાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર સાત વ્યક્તિને ઇજા થતાં તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ,મોરબી રોડ રતનપરમાં રહેતા કનૈયાલાલ ત્રિકમભાઈ લંકી(ઉ.વ.61),વંદનાબેન કનૈયાલાલ સોલંકી(ઉ.વ.26),દયા કનૈયાલાલ સોલંકી(ઉ.વ.24),નેમિશ મોહનભાઈ બાબરીયા(ઉ.વ.35),સંજના નેમિશ (ઉ.વ.32),ઉર્વી નેમિશ(ઉ.વ.11) અને ધૈર્ય નેમિશ(ઉ.વ.8) એમ બધા ગઇકાલે રવિવાર હોય કાર લઈને હળવદના ચરાવડા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.

ત્યાંથી દર્શન કરી સાંજના સમયે પરત ઘરે ફરતા હતા.ત્યારે હડાળાના પાટીયે પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કારને ઠોકરે લેતા તમામને ઇજા થઇ હતી.બધાને કારમાંથી હેમખેમ બહાર કાઢી રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા.નેમિશભાઈ કારના ચાલક છે.અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં તજવીજ આદરી છે.

આ સમાચારને શેર કરો