ભીમ યાત્રા પણ મોકૂફ: મુખ્યમંત્રી રૂપાણી
ગુજરાતમાં ગત માર્ચ-2020 બાદ દિવાળી પછી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. આ ઘટનાનું સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ફરીવાર માથું ઉંચકયું છે. કોરોનાના કેસો કૂદકેને ભૂસકે ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં વધ્યાં છે. આ વધતાં જતાં કેસોની ખુદ ગુજરાત હાઇકોર્ટે પણ નોંધ લઇને સરકારને યોગ્ય પગલાં લેવા સૂચન કર્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાબડતોબ રાજયની મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરો સાથે તાત્કાલિક બેઠક યોજીને કોરોનાના કેસોને નિયંત્રણમાં લેવા માટેના આદેશો છોડયાં છે. બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી ક્રિક્રેટ મેચમાં મોટી સંખ્યામાં ભીડ જામી રહી છે.
આ પરિસ્થિતિને પામીને જ ભીમ રથયાત્રા સમિતિએ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શહેરના પૂર્વ વિસ્તારમાં નીકળતી ભીમ રથયાત્રાને વધુ એક વખત મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કાળા કેરના કારણે પ્રજાહિતને ધ્યાનમાં લઇને સમિતિએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)