Placeholder canvas

વાંકાનેર: શાહબાવાની દરગાહએ ગયેલા યુવાન ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં આવેલી શાહબાવાની દરગાહએ ગયેલા યુવાન ઉપર પાંચ શખ્સોએ લાકડીથી હુમલો કરી ઈંટના છુટા ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ દફ્તરેથી મળેલી માહિતી મુજબ વાંકાનેર ચંદ્રપુરમાં ગેલેક્સી સોસાયટીમાં રહેતા એજાજશા ઈકબાલશા શાહમદાર શાહબાવાની દરગાહ ખાતે ગયા ત્યારે તેમનો પુત્ર તેમને મળવા આવતા આરોપી (૧) આશીફશા નુરશા શાહમદાર (૨) દાઉદશા જીવાશા શાહમદાર (૩) અબ્દુલશા શીદીકશા શાહમદાર (૪) જાવીદશા દાઉદશા શાહમદાર (૫) શોહીલશા રફીકશા શાહમદાર રહે. બધા વાંકાનેર શાહબાવાની દરગાહમા મીનારા શેરી વાળાઓને સારું નહિ લાગતા લાકડીથી હુમલો કરી ઇટના છુટા ઘા કરી ઇજા પહોંચાડી હતી.

તા.19 ઓગસ્ટના રોજ બનેલ આ બનાવ અંગે ફરિયાદી એજાજશા શાહમદારે ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૩૩૭અને જી.પી. એકટ કલમ ૩૭(૧) ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો