ટંકારા: આર્ય સમાજ દ્વારા 25 થી 30 મે આર્યવીર–વીરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આયોજન.

ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા આગામી તારીખ 25 મે થી 30 મે સુધી સ્થાનીય ગ્રીષ્મકાલીન આર્યવીર અને વીરાંગના દળ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ભાગ લેવા માટે પ્રવેશ પત્ર ભરવાના શરૂ થઈ ચુક્યા છે. શિબિરાર્થીએ પોતાનું નામ, શૈક્ષણિક યોગ્યતા, જન્મતારીખ, સરનામું, મોબાઈલ નંબર, માતા-પિતાની સહી સહિતની વિગતો ભરીને ફોર્મ ભરવાનું રહેશે. આ શિબિરમાં શારીરિક વિકાસ માટે આસન વ્યાયામ, પ્રણાયામ, દંડ, બેઠક, સૂર્યનમસ્કાર, ભૂમિનમસ્કાર, ચંદ્રનમસ્કાર, સર્વાંગસુંદર વ્યાયામ, જુડો કરાટે, લાઠીદાવ, ભાલા, લેજીમ, ડંબેલ્સ, આત્મ સુરક્ષાના દાવ વગેરે અને બોદ્ધિક વિકાસ માટે ધાર્મિક વિકાસ, સામાજિક વિકાસ, આત્મિક વિકાસ, સમાજ અને રાષ્ટ્ર ભક્તિ ભાવના વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવશે.

આ સમાચારને શેર કરો