Placeholder canvas

રાજકોટ: ગુજરાત વકફ બોર્ડમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના આસીફ સલોતની વરણી…

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ મંત્રી અને અલ્પ સંખ્યક નાણા નિગમના પૂર્વ ડીરેકટર એવા આસીફભાઈ સલોતની ગુજરાત વકફ બોર્ડમાં વરણી કરવામાં આવી છે.

આસીફભાઈના પિતા કાદરભાઈ સલોત ભારતીય જનતા પાર્ટીમાં ભુતકાળમાં અનેક જવાબદારીઓ બજાવીને લગુમતી સમાજને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડવામાં સિંહફાળો રહ્યો છે. તેમજ તેમના માતા ખેરૂનબેન પણ અગાઉ કોર્પોરેશનની ચુંટણી લડયા હતા.

આસીફભાઈ રાજકીય ક્ષેત્રમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી,. શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્યની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવું પ્રદાન આપી રહ્યા છે જેમાં રાજકોટ શહેર તાજીયા કમીટીના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ તરીકે રાજકોટ શહેર યમીન કમીટીના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્થાન માટે હંમેશા સતત કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વકફ બોર્ડમાં આસિફ સલોત ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના લધુમતી મોરચા ગુજરાત પ્રદેશ ના પ્રમુખ ડૉ. મોહસીન લોખનવાલા અને ભારતીય જનતા પાર્ટીના લધુમતી મોરચા ગુજરાત પ્રદેશ ના ઉપપ્રમુખ અમરેલી જીલ્લા પ્રભારી સૈયદ જીશાન નકવીની પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો