skip to content

ઝીંઝુવાડા નજીક રણમાં અકસ્માતમાં ધનાળાના રબારી પરિવારની 3વર્ષની બાળકીનું મોત.

હળવદ તાલુકાના ધરાળા ગામે રહેતો રબારી પરિવાર ઝીંઝુવાડા નજીક આવેલા વેરાઈ માતાજીના દર્શને કાર લઈ જઈ રહ્યા હતા. ત્યારે ઝીંઝુવાડા રણમાં કાર પલ્ટી મારી જતા એક ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ગોઝારા અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા બળદેવભાઈ રબારી પોતાના પરિવારજનો સાથે તેઓની વેન્યુ કાર લઇ ઝીંઝુવાડા નજીક આવેલા વેરાઈ માતાજીના દર્શને જઈ રહ્યા હતા. ત્યારે ઝીંઝુવાડા રણમાં કાર પલ્ટી મારી જતા પિયુબેન બળદેવભાઈ રબારી ( ઉંમર વર્ષ ત્રણ )નુ કરુણ મોત નિપજ્યું હતુ. જ્યારે મોતીભાઈ વિભાભાઈ અને ધ્રુવીબેન બળદેવભાઈને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો