Placeholder canvas

સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત: 1નું મોત 15ને ઈજા

સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, લખતરના છારદ પાટિયાના નજીક ખાનગી બસ અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જ્યારે બસમાં સવાર 15 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

લખતરના છારદ પાટિયા પાસે દુર્ઘટના
અક્સમાતની ઘટના જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા જ્યારે સમગ્ર મામલે પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી.રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા પોલીસ ટ્રાફિરને નિયંત્રિક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે મૃતકને પીએમ અર્થે ખસેડીને 108 દ્વારા વધુ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો