Placeholder canvas

મોરબી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ પર ‘આપે’ બાપુની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપી

ભારત દેશ ને જે મહાપુરુષ એ આઝાદી અપાવી તેવી મહાન વિભૂતિ અને આઝાદી માટે જેમને પોતાનું બલિદાન આપેલ એવા આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી ની પુણ્યતિથિ તેમજ શહીદ દિવસ ના દિવસે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા તેમજ મોરબી જિલ્લા ના તમામ તાલુકા મથકે પૂજ્ય બાપુ ની પ્રતિમા ને ફુલહાર કરી મહાત્મા ગાંધીજી ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ના ઉપપ્રમુખ શ્રી સંજયભાઈ ભટાસણા તેમજ મોરબી જિલ્લા મહામંત્રી શ્રી જસવંતભાઈ કાગથરા, છગનભાઇ કાનાણી, મોરબી જિલ્લા મંત્રી ચેતન લોરીયા,રવિભાઈ રાજપરા, તેમજ મોરબી જિલ્લા તેમજ તાલુકા ટીમ માંથી પંકજ આદ્રોજા,પ્રદીપ ભોજાણી, દિવ્યેશભાઈ મગુનિયા,દેવશીભાઈ ચૌહાણ, ભવદીપસિંહ ઝાલા,તેમજ સાથી આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા મિત્રો એ પૂજ્ય મહાત્મા ગાંધીજી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ સમાચારને શેર કરો