Placeholder canvas

નારી ચોકડી પાસે ઈકોકાર સળગતા એક વ્યકિતનું ભડથું થઈ જતા મોત

ભાવનગર નજીક નારી ચોકડી પાસે કારઅકસ્માત સર્જાતા કારમાં બેઠેલ એક વ્યક્તિનું સળગી જતા કમકમાટી મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગઈ મોડી રાત્રે ભાવનગર નજીક નારી ચોકડી નજીક મોમાઈ માતાના મંદિર પાસે એક કાર સળગી ગયેલ હોવાની જાણ થતા ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા કાર ની અંદર એક માનવ લાશ સંપૂર્ણ રીતે સળગી ગયેલ હાલતમાં મળી આવી હતી.

કોઈ કારણોસર કારમાં આગ લાગી હતી આગ ને કારણે કારમાં રહેલ એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો.ઇકો કાર જીજે 14 AP 7106 હોવાનું જાણવા મળેલ છે.મૃતક ની ઓળખ થઈ નથી. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરમાં તાજેતરમાં જ એક કાર માં અકસ્માત સર્જાયા બાદ આગ ભભૂકી ઉઠતા એક વ્યક્તિનું દાજી જતા મોત નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો