Placeholder canvas

વાંકાનેર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચની બેઠક મળી

દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી

By મયુર ઠાકોર
વાંકાનેર : તા.૨૭ ઓગસ્ટના રોજ રાજકોટ રોડ પર આવેલ વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા એક બેઠક મળી હતી. જે બેઠકમા જુના ૧૦ ટકા અનામતના પડતર પ્રશ્નોને લઈને જાગૃતિ માટે અને સરકારશ્રીના ભીખુ ઇદાતે કમિશન, રેન્કે કમિશન,રોહિણી કમિશનોની ભલામણની ઝડપથી સરકાર દ્વારા અમલવારી કરી અને વિચરતી-વિમુકત જાતિ ને ૧૦ ટકા અલગ અનામત આપવા તાલુકા પંચાયત,નગરપાલિકાના તમામ સભ્યો અને વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિના લેટરપેડ પર સરકારશ્રી સમક્ષ લેખિતમાં રજુઆત કરવા જ્ઞાતિના આગેવાનો અને યુવાનોને ડો.પ્રકાશભાઈ કોરડીયા,સંજયભાઈ અજાણી,પપ્પુભાઈ ઠાકોર,ભરતભાઇ રાઠોડ, સનતભાઈ ડાભી,મેરાભાઈ વિઠ્ઠલાપરા,રાજુભાઈ કોરડીયાએ બેઠકમાં હાજર આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈ ઠાકોર, શિવસેના શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, રૂખડભાઈ માણસૂરિયા, રણછોડભાઈ, મનસુખભાઈ, વિરજીભાઈ, ગોપાલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઉપરાંત વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ગામે-ગામ પ્રવાસ કરી બંધ થઈ ગયેલ લાભોનું ફરી અમલીકરણ તેમજ તેના લાભો અંગે લોકોમાં જાગૃતતા લાવી ગામે ગામથી મુખ્યમંત્રીને પત્ર લખી અભિયાન શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો