skip to content

વાંકાનેર: આણંદપર ખાણમાં લોડરના બકેટમાંથી પથ્થર માથે પડતા યુવાનનું મોત.

વાંકાનેર : તાલુકાના આણંદપર ગામે આવેલ પથ્થરની ખાણમાં ટ્રક સાફ કરી રહેલા યુવાન ઉપર લોડરના પકેટમાં ભરેલ પથ્થર નાખતા મૃત્યુ નીપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના આણંદપર ગામે દશરથસિંહ ઝાલાની ખાણમા વિપુલભાઇ હમિરભાઇ ગેલડિયા ઉ.25 નામનો યુવાન ગાડીનું ઠાઠું સાફ કરતો હતો ત્યારે લોડર ચાલકે વેસ્ટ પથ્થરો નાખતા પથ્થર નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો