વાંકાનેર: રાતીદેવડીના પ્રૌઢ બાકડા ઉપર બેઠા હતાને ઢળી પડયા,ને પ્રાણ પંખેરુ ઉડી ગયું.
વાંકાનેરના રાતીદેવડી બાકડા ઉપર બેસેલા પ્રૌઢ અચાનક નીચે ઢળી પડ્યા હતા. જેને પગલે તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા ૫૫ વર્ષીય જયેન્દ્રસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા શહેરના નાગાબાવાના મેળા પાસે ખોડીયાર હોટલ નજીક બાકડા ઉપર બેઠા હતા. એ સમયે અચાનક તેઓ નીચે ઢળી પડ્યા હતા. જેને પગલે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા તેમણે સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.