skip to content

રાજકોટ: ગંજીવાડામાં પાડોશી ત્રણ શખસે યુવાનને છરી મારી


રાજકોટ: શહેરના ગંજીવાડા શેરી નં. 5માં રહેતાં મિલન રવિભાઈ પરમાર 27મીના ઘર પાસે હતો. ત્યારે તેની પડોશમાં રહેતાં કિશોરભાઈ, તેનો પુત્ર અનિલ અને કુકુએ ‘તારો ભાઈ અમારી સામે કેમ જોવે છે’ કહી ઝઘડો કરી ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી રવિ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. સામાપક્ષે પડોશમાં જ રહેતાં ચંપાબેન ધીરૂભાઇ સોલંકી ઇજાગ્રસ્ત યુવકે અને તેના ભાઈ સુનિલ અને રવિ સહિતના શખ્સો છરીથી તૂટી પડ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ બનાવમાં બન્ને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. થોરાળા પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો