Placeholder canvas

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું: ગુનો નોંધાયો

વાંકાનેરમાં શહેરમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જાતીય પ્રવેશ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલી સગીરાના પિતાએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવીને તેનુ અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે જાતીય પ્રવેશ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલી સગીરાના પિતાએ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી મુન્નાભાઈ ખવાસ રહે, રાતીદેવાડી વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો