Placeholder canvas

જોડિયાના રમણીક પઢીયારને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફરમાવતી વાંકાનેર કોર્ટ

વાંકાનેરનાં સીંધાવદર ગામના ખુશ્બુ પોલ્ટ્રી ફિડએ જોડિયાના રમણીક પઢીયાર સામે ચેક રિટર્નનો વાંકાનેર કોર્ટમાં કેસ કર્યો હતો…

વાંકાનેર: સિંધાવદર ગામના પોલ્ટ્રીફાર્મના વેપારીના લેણા પેટે આપેલ રૂપિયા 1,48,970ની ચુંકવણી પેટે આપેલ ચેક રિટર્ન કેસમાં જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયારને એક વર્ષને વાંકાનેર કોર્ટે સજા ફરમાવી છે.

આ કેસની હકીકત કંઈક એવી છે કે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પોલ્ટ્રીફાર્મના વેપારી ખુશ્બુ પોલ્ટ્રીફાર્મને મરઘાના ખોરાકના લેણા પેટે તારીખ 4/8/2017 ના રોજ નો 1,48,970 રૂપિયાનો ચેક આપેલ હતો જે તારીખ 11/8/2017 ના રોજ રિટર્ન થતાં તે અંગેની ફરિયાદ ખુશ્બુ પોલ્ટ્રી ફિડે તેના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં આ જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

આ કેસના આરોપી હાજર નહીં થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદી એ પોતાનો કેસ નિ:શંક પણે સાબિત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારુક એસ. ખોરાજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી રમણીક ચમન પઢીયારને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા 1,48,970 વાર્ષિક 9% લેખે વ્યાજ સહિત ચૂકવવાનો અને જો આ રકમ ન ચૂકવે તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ રાણા સાહેબની કોર્ટે કરેલ છે.

આ કેસમાં ફરિયાદી ખુશ્બુ પોલ્ટ્રી ફાર્મ વતી વકીલ તરીકે ફારુક એસ. ખોરજીયા અને નાસિર એમ જામ રોકાયેલા હતા.

આ સમાચારને શેર કરો