Placeholder canvas

વાંકાનેર: મટેલના યુવકને ઢુવા પાસે અચાનક લોહીની ઉલટી થતા થયું મૃત્યુ…!

વાંકાનેરમાં બોંઝા સીરામીક ફેક્ટરીમાં યુવકને અચાનક લોહીની ઉલટી થઈ હતી, જેને પગલે તેને સ્થાનિકો દ્વારા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર માટેલ ગામે રહેતા ૩૦ વર્ષીય ભગવાનભાઇ બાબુલાલ રાજપુત ઢુવા ચોકી થી આગળ બોંઝા સીરામીક ફેક્ટરીમાં હતા ત્યારે અચાનક તેમને કોઇ કારણોસર લોહીની ઉલટીઓ થવા લાગી હતી. જેથી સ્થાનિકો દ્વારા પ્રથમ તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પોલીસે સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો