Placeholder canvas

મોરબી જિલ્લાના 8 જજની બદલી…

મોરબી : હાઈકોર્ટનાં એકટીંગ ચીફ જસ્ટીસ દ્વારા ૩૬૫ જજની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા જજની પણ બદલી કરવામાં આવી છે, આ બદલી હુકમ અન્વયે ટંકારા ખાતે ફરજ બજાવતા શૈલેષકુમાર કાંતિલાલ પટેલને વાંકાનેર પોસ્ટિંગ અપાયું છે. જયારે વાંકાનેર ખાતે ફરજ બજાવતા જજ આત્મદીપ શર્માને પાલનપુર મુકવામાં આવ્યા છે, સાથે જ હળવદ ફરજ બજાવતા ડો.લક્ષ્મી નંદવાણાને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુકવામાં આવ્યા છે.

આ ઉપરાંત મોરબી ખાતે ફરજ બજાવતા સુશ્રી ચુનૌતીને તારાપુર, આણંદ ખાતે, હળવદ ખાતે ફરજ બજાવતાં વત્સલભાઈ હરેશભાઇ ઠાકરને કલોલ, ખાતે હળવદ ખાતે 2જા એડિશનલ સિવિલ જજ તરીકે ફરજ બજાવતા આદિલખાન લિયાકતઅલી પઠાણને એડિશન સિવિલ જજ હળવદ ખાતે, વિસનગર મહેસાણા ખાતે ફરજ બજાવતા ચંદનીબેન યુવરાજસિંહ જાડેજાને મોરબી ખાતે અને દાહોદ ખાતે ફરજ બજાવતા સોયાબમહંમદ ગુલામમહંમદ શેખને ટંકારા ખાતે મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો