Placeholder canvas

આવતીકાલે ‘આપ’ની જન સંવેદના યાત્રા વાંકાનેરમાં

ગોપાલભાઈ ઇટાલીયા, ઈશુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ આવશે

વાંકાનેર: ગુજરાતમાં કોરોનાની બીજી વેવમાં ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેના સ્વજનોને મળવા માટે આમ આદમી પાર્ટીએ જન સંવેદના યાત્રા ગુજરાતમાં ચાલુ છે તે અંતર્ગત આવતી કાલે એટલે કે તા. 20મી જુલાઈના રોજ વાંકાનેરમાં આપની જન સંવેદના યાત્રા આવી રહી છે.

આ આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા સાથે વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલીયા, ઈશુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી અને પ્રવિણભાઈ રામ આવી રહ્યા છે.

આ આમ આદમી પાર્ટીની જન સંવેદન યાત્રા બપોરે પહોંચશે અને વાંકાનેરના ત્રણ ગામોમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં બપોરે 3 :45 કલાકે હોટેલ મીસરી-ચંદ્રપુર. , સાંજે : 5 :30 કલાકે પીપળીયા રાજ ખાતે અને રાત્રે 7:30 કલાકે ગારીયા મુકામે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણેય સ્થળ પર વાંકાનેર તાલુકા અને શહેરની આમ જનતાને પધારવાનું વાંકાનેર આમ આદમી પાર્ટી જાહેર આમંત્રણ આપ્યુ છે.

મળેલી માહિતી મુજબ આપ ની આ જન સંવેદના યાત્રામાં પીપળીયારાજ ગામ ખાતે તાલુકાના કેટલાક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી શક્યતાઓ છે. આ માટે વાંકાનેર આમ આદમી પાર્ટીના કાર્યકરો મજબૂત નવા કાર્યકરોને જોડીને વાંકાનેરમાં આપને મજબૂત બનાવવાની ભારે તૈયારી કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો