Placeholder canvas

માળીયા: રેફરલ હોસ્પિટલમાં આવશ્યક સુવિધા માટે મામલતદારને આવેદન

માળીયા: મોરબી જિલ્લાના માળીયાની રેફરલ હોસ્પિટલમાં આવશ્યક સુવિધાનો અભાવ હોય અને તેમનો અનુભવ કોરોનાની બીજી લહેરમાં થયો હોય ત્યારે ત્રીજી લહેર આવે તે પહેલા રેફરલ હોસ્પિટલમાં આવશ્યક સુવિધા માટે આજે મિયાણા સમાજ મિત્રમંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો હતું.

આ આવેદનમાં મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં સરકાર પાસે માળીયા રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા, કોરોના દર્દી માટે નવા વોર્ડ ઉભા કરવા, અને હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ ફાળવણી કરવા માળીયા-મિયાણાના મામલતદાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવા માં આવી હતી.

આ આવેદન આપતી વખતે એડવોકેટ ઈસ્માઇલભાઈ સવાણી, સામાજિક કાર્યકર અમિનભાઈ ભટ્ટી, મુસ્લીમ જમાતના અવેશભાઈ જેડા અને સામાજિક કાર્યકર અબ્બાસભાઈ જામ હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો