વાંકાનેર શહેરમાં આજે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ
by શાહરુખ ચૌહાણ-વાંકાનેર
વાંકાનેર શહેરમાં આજે બપોર બાદ અલગ અલગ ત્રણ અપ મૃત્યુના બનાવ નોંધાયા છે. આ ત્રણેય વ્યક્તિએ પોતપોતાના ઘરે ગળો ફાંસો ખાયને આપઘાત કરી લીધો છે, આ ત્રણેય વ્યક્તિને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ડોક્ટર તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ -૧ વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપરામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા ઉંમર વર્ષ 36 કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો.
બનાવ -૨ વાંકાનેર ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા ઉંમર વર્ષ 26 કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.
બનાવ -૩ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત ઉંમર વર્ષ 20 એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો
આ તમામ કેસની નોંધ કરીને વાંકાનેર શહેર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.