Placeholder canvas

વાંકાનેર: પરિણીતાએ સસરિયાઓના ત્રાસ મામલે ફરિયાદ કરતા સાસરિયા તરફથી મળી ધમકી…

મોરબી : વાંકાનેર શહેરમાં પેડક રોડ ઉપર માવતરના ઘેર રહેતી પરિણીતાને રાજકોટના જાળીયા ગામના સસરિયાઓ દ્વારા મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા કેસ કરતા મારી નાખવાની ધમકી આપતા મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે વાંકાનેર પેડક સોસાયટીમાં રહેતા અવનીબેન મનસુખભાઇ ચાવડાએ પતિ જીગ્નેશ મનસુખભાઈ ચાવડા, સસરા મનસુખભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, સાસુ મંજુલાબેન મનસુખભાઈ ચાવડા, જેઠ જયદેવભાઈ મનસુખભાઈ ચાવડા, જેઠાણી દક્ષાબેન જયદેવભાઈ ચાવડા, નણંદ મનીષાબેન મનસુખભાઈ ચાવડા અને મમતાબેન મનસુખભાઈ ચાવડા રહે.-બધા ગામ-જાળીયા તા.જી.રાજકોટ વાળાઓ વિરુદ્ધ કરિયાવર અને ઘરકામ મામલે શારીરિક માનસિક ત્રાસ આપવા મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વધુમાં પતિ અને સસરાએ આ ફરિયાદ પાછી ખેંચી લેવા પરિણીતાને જાનથી મારી નાખવા ધમકી આપતા પતિ સહિતના તમામ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજ્બ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો