Placeholder canvas

વાંકાનેર: દોઢ વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર ઇસમ કોલકત્તાથી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમ દોઢ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમે કોલકત્તા ખાતેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી અપહરણ થયેલ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઉમાશંકર ગૌરાંગશંકર ભૂણીયા હાલ કોલકત્તા હોવાની બાતમીને પગલે AHTU ટીમ દ્વારા કોલકત્તા ખાતે તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને ઝડપી લઈને તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં આવી છે વાંકાનેર તાલુકા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરને સોપવામાં આવ્યા છે

જે કામગીરીમાં AHTU મોરબી ટીમના એન એ વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, ફૂલીબેન ઠાકોર અને બકુલભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી

આ સમાચારને શેર કરો