મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે તે ઘડીએ અંત
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191212-WA0009-1024x576.jpg)
ગાંધીનગરમાં કર્મચારી નેતાઓ સાથે મહેસુલ સચીવની વાતચીત: મુખ્યમંત્રી પણ દરમ્યાનગીરી કરશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191116-WA0016-1024x1024.jpg)
રાજયભરમાં ચાલી રહેલા મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે ત્યારે અંત આવે તેવા સંકેત છે. આજે ગાંધીનગરમાં રાજયભરમાંથી એકઠા થયેલા હજારો મહેસુલી કર્મચારીઓ એકત્ર થયા હતા.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/HAMVI-1024x1024.jpg)
તેઓ ગાંધીનગરના ઘ-0 થી તેમની રેલી કાઢીને સત્યાગ્રહ છાવણી સુધી પહોંચવા આગળ વધી રહ્યા હતા તે સમયે જ તેમના અગ્રણીઓને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સંદેશો આવતા પાંચ નેતાઓ મહેસુલ સચીવને મળવા ગયા છે અને બાદમાં તેઓ મુખ્યમંત્રીને પણ મળશે તથા સાંજ સુધીમાં આ આંદોલન પાછુ ખેંચી લેવાઈ તેવા સંકેત છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191203-WA0005-1024x1024.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)