વાંકાનેર: જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નીચે ખાબકી, સવાર સલામત…
વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ પરથી આજે વહેલી સવારે એક કાર નીચે ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકો સલામત છે.
મળેલી માહિતી મુજબ આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ મારુતિ કંપનીની કાર Gj-33 F- 8908 જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ડિવાઇડર સાથે અથડાઈને કાર નીચે ખાબકી હતી. કારમાં મોટું નુકસાન થયું હતું અને ઊંધી પડી હોવા છતાં અંદર સવાર કોઈ લોકોને મોટી ઈજા થઈ નથી. માત્ર ડ્રાઇવરને મોઢા ઉપર થોડી ઇજા છે.
ગત રાત્રે જોધપર ગામમાં માતાજીનો માંડવો હતો અને આ માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે 4:30 વાગ્યે અચાનક જોરદાર અવાજ આવતા લોકો ઓરબીજ પાસે દોડી ગયા હતા અને જઈને જોતા કાર પુલ ઉપરથી નીચે ઉંધી પડી હોય કારમાંથી લોકોને બહાર કાઢીને માંડવી લઈ ગયા હતા ચોટીલાના તેમના કોઈ સગાને જાણ કરી હતી અને તેઓ તેમને લેવા આવ્યા હતા. મળેલી માહિતી મુજબ કારમાં સવાર લોકો બોટાદના હતા.