Placeholder canvas

વાંકાનેર: અરુણોદય સોસાયટીમાંથી બીયર સાથે એક ઝડપાયો…

વાંકાનેરની અરૂણૉદય સોસાયટીમાથી બીયર સાથે એક ઈસમને ઝડપીને વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અરૂણૉદય સોસાયટીના નાકે વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન આરોપી અમનભાઈ તસીરભાઈ પારા મળી આવ્યો હતો.જેથી તેની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા ૩૦૦ની કિંમતના ૩ નંગ બીયરના ટીન સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે મુદામાલ જપ્ત કરીને પ્રોહી એક્ટ કલમ-૬૫એ.એ,૧૧૬-બી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો