ટંકારા: આમ આદમી પાર્ટીએ સૌની યોજનામાંથી ખેડૂતોને પાણી આપવાની માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું.
ટંકારા: આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા ટીમ દ્વારા મોરબી કલેકટરને સૌની યોજનામાંથી ખેડૂતોને પાણી આપવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યુ.
ટંકારા તાલુકા આમ આદમી પાટીૅ પ્રમુખ નરોત્તમભાઇ ગોસરા દ્રારા જણાવેલ કે ટંકારા તાલુકામાં નહિવત વરસાદના કારણે ખેડૂતોના પાકને જ્યારે પાણીનિ તાતિ જરુરિયાત હોય જેથી સૌની યોજના અંતર્ગત મોરબી, ટંકારા તેમજ પડધરીમાં આવતા વિસ્તારોમાં જ્યાં નદિ, વોકળા કે તળાવમાં વાલ્વ મુકેલા હોય ત્યાં તાત્કાલિક વાલ્વ ખોલી ખેડુતોને પાણિ પુરું પાડવામા આવે તેવી માંગ સાથેનું આવેદન મોરબી જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે.
આ આવેદન આપવામાં આમ આદમી પાર્ટી ટંકારા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, મહામંત્રી પ્રકાશભાઇ દુબરિયા, પ્રકાશભાઇ રાજપરા તેમજ દિનેશભાઇ ચાવડા જોડાયા હતા.