Placeholder canvas

સુરેન્દ્રનગર : કોરોનાના ડરથી આખું ગામ ખાલી થઈ ગયું, લોકો ખેતરમાં રહેવા જતા રહ્યા

કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓમાં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના ફેલાયો છે. સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો અહીં ગામમાં બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આખું ગામ ખાલી થઈ ગયું છે. ચેપ ન ફેલાય તે માટે ગામના લોકો પોતાના ખેતર પર રહેવા જતા રહ્યા છે. 1100 લોકોની વસ્તી ધરાવતું ગામ હાલ ઉજ્જડ બની ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં આવું થયું છે.

મળતી માહિતી પ્રમાણે ગામના ઉપ-સરપંચના પત્ની અને તેના ભાણેજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં 1100 લોકોની વસ્તી ધરાવતા ગામમાંથી 700 લોકો ગામ છોડીને ખેતર પર રહેવા માટે ચાલ્યા ગયા છે. લોકોને એવો ડર છે કે તેમને પણ કોરોના થઈ જશે. આવા ડરથી ગામમાંથી હિજરત શરૂ થઈ હતી. બંને પોઝિટિવ દર્દીને સારવાર માટે સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને લોકો અમદાવાદથી પરત ફર્યા હતાં.

ગામમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાયા : ગામમાં મોટાભાગના લોકો પલાયન કરી ગયા છે ત્યારે ગામમાં ચોરી જેવા કોઈ બનાવો ન બંને તેમજ બહારથી કોઈ વ્યક્તિ ખબર વગર ન ઘૂસી જાય તેના પર નજર રાખવા માટે ગામમાં તાત્કાલિક સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો