સુરત: રધુવીર સેલિયમ માર્કેટમાં મોડી રાત્રે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 57 ગાડી, 200 કર્મીઓ ઘટનાસ્થળે
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/20200117_121009.jpg)
સુરત : શહેરનાં પુણા કુંભારીયા રોડ પર આવેલા રધુવીર સેલિયમ માર્કેટમાં મોડી રાતે વિકરાળ આગ લાગી છે. શહેરની તમામ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી જઇને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ સાથે બારડોલીથી પણ ફાયર બ્રિગેડની ગાડીઓ મદદે આવી ગઇ છે. 15 દિવસ પહેલા પણ આ જ બિલ્ડીંગમાં આગ લાગી હતી. સદનસીબે જાનહાનીનાં કોઇ સમાચાર મળેલ નથી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20191231-WA0013-1-1024x1024.jpg)
મોડી રાતે લાગેલી આગ એટલી વિકરાળ છે કે સવારે સડા સાત સુધી પણ આગ કાબૂમાં આવી નથી. આ વિકરાળ આગને બુઝાવવા માટે 57 જેટલી ફાયર બ્રિગેડનીગાડીઓ અને 200થી વધારે કર્મચારીઓ પ્રયત્નો કરી રહ્યાં છે. આ સાથે 3 હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/IMG-20200113-WA0003-1024x914.jpg)
પ્રાથમિક અનુમાન પ્રમાણે શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, 8મી જાન્યુઆરીનાં રોજ પણ આ બિલ્ડીંગમાં આગ લાગી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/01/20200103_121657.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)