Placeholder canvas

વાંકાનેર: મચ્છુ નદીના પુલ પરથી આધેડેનો પડતું મૂકી આપઘાત…

વાંકાનેર: મચ્છુ નદી પર બનેલ ૨૭ નેશનલ હાઇવેના પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વયના પુરુષે પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો….

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદીના હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ અંદાજે 50 વર્ષની ઉંમરના એક અજાણ્યા આધેડે કોઈ અગમ્ય કારણોસર પુલ પરથી નીચે નદીમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે…

આ સમાચારને શેર કરો